ભારત જોડો યાત્રા પાયલટની પહેલી મુલાકાત, બદલાયેલા દેખાયા સુર, શું રાહુલે લગાવ્યા પેચ

રાજસ્થાન કોંગ્રેસમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલી ખેંચતાણ હવે ઓછી થઇ હોય એવું લાગી રહ્યું છે. બે દિવસ પહેલા સુધી તો ગેહલોતની ‘ગદ્દાર’ની ટિપ્પણીને લઈને બંને નેતાઓ વચ્ચે જબરદસ્ત ગરમાગરમી ચાલી રહી હતી, પરંતુ મંગળવારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાની તૈયારીઓ માટે આયોજિત કોંગ્રેસની બેઠકમાં બંને નેતાઓના સુર બદલાયેલા દેખાયા. બંનેએ એકબીજાને નમસ્તે કર્યું અને એકદમ સહજ ભાવ દેખાયા. એવું માનવામાં આવી રહ્યું છે કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્ક્રૂ ટાઈટ કર્યા બાદ બંને નેતાઓના વર્તનમાં આ બદલાવ આવ્યો છે.

વેણુગોપાલે બેઠકમાં રાહુલનો સંદેશ આપ્યો હતો

મીડિયા અહેવાલ અનુસાર, કોંગ્રેસની બેઠકમાં પહોંચેલા પાર્ટીના મહાસચિવ કેસી વેણુગોપાલે રાહુલ ગાંધીનો સંદેશ ગેહલોત અને પાયલટ સુધી પહોંચાડ્યો. તેમણે ગેહલોત-પાયલોટ સહિત કોંગ્રેસના દરેક નેતાઓને અનુશાસન જાળવવા વિનંતી કરી. સૂત્રોના જણાવ્યા અનુસાર તેમણે બેઠકમાં કહ્યું કે પાર્ટી સૌથી ઉપર છે. તેમણે દરેકને 2023ની રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે એકતા દર્શાવવા વિનંતી કરી.

મીટિંગ બાદ તેમણે પાયલટ અને ગેહલોતને મીડિયાની સામે રજૂ કર્યા, જેઓ એકબીજાનો હાથ પકડીને એકતાનો સંદેશ આપી રહ્યા હતા. તેમણે રાહુલ ગાંધીના નિવેદનનું પુનરાવર્તન કરતા કહ્યું કે અમે એક છીએ, રાહુલ ગાંધી સ્પષ્ટ કહી ચુક્યા છે કે અશોક ગેહલોત અને સચિન પાયલટ બંને પાર્ટી માટે એસેટ છે. રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી સંપૂર્ણ રીતે એક થઈ ગઈ છે.

બેઠક બાદ મુખ્યમંત્રી અશોક ગેહલોતે મીડિયા સાથેની વાતચીતમાં ભારત જોડો યાત્રાને દેશની અંદર આશાનું કિરણ ગણાવ્યું હતું. આ દરમિયાન જ્યારે તેમને પાયલટ વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે, જ્યારે રાહુલ ગાંધીએ અમને બંનેને પાર્ટીના એસેટ ગણાવ્યા છે, તો માત્ર અમે જ નહીં, અમારા અનુયાયીઓ અને કાર્યકર્તાઓ પણ પાર્ટીના એસેટ છે. તેમણે કહ્યું, અમારી પાર્ટીની ખાસિયત છે કે નેતૃત્વ તરફથી આવતો સંદેશ નીચલા સ્તર સુધી પહોંચે છે અને અમે પાર્ટીના ભલા માટે સાથે મળીને કામ કરીએ છીએ. રાજસ્થાનમાં 2023ની ચૂંટણીના પડકારને ધ્યાનમાં લેતા ગેહલોતે કહ્યું કે, પાર્ટી ચૂંટણી જીતે તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એ દેશના હિતમાં છે. કોંગ્રેસ મજબૂત હશે તો જ ભવિષ્યમાં દેશ મજબૂત થશે. દેશ અને કોંગ્રેસનો ડીએનએ એક જ છે.

રાહુલના મુદ્દા દેશવાસીઓના દિલની વાત છે 

ગેહલોતે કહ્યું કે, રાહુલ ગાંધી જે મુદ્દાઓને લઈને યાત્રા પર નીકળ્યા છે તે દેશવાસીઓના દિલની વાત છે. આ મોદી અને અમિત શાહ માટે સંદેશ છે. દેશમાં વધતી મોંઘવારી, બેરોજગારી અને હિંસા દેશના હિતમાં નથી. રાજસ્થાનમાં ભારત જોડો યાત્રા ખૂબ જ અદભૂત હશે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન અને ગૃહમંત્રીના ગુજરાતની મુલાકાતે આવવા અને આટલા પ્રવાસો કરવાથી તમે સમજી શકો છો કે તેઓ રાહુલ ગાંધીની યાત્રાના અદ્ભુત સંદેશથી ગભરાઈ ગયા છે.

રાહુલ ગાંધીની યાત્રા રાજસ્થાનમાં યાદગાર રહેશે: પાયલોટ

કોંગ્રેસના પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટે કહ્યું કે, 5 ડિસેમ્બરે રાજસ્થાનમાં ભારત જોડો યાત્રાના સ્વાગત માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. આ એક ઐતિહાસિક અને યાદગાર યાત્રા હશે અને તેમાં દરેક વર્ગના લોકો જોડાશે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.