સંવિધાન દિવસ સમારોહમાં PM મોદીએ હાજરી આપી
PM Modi આજે સુપ્રીમ કોર્ટમાં સંવિધાન દિવસ સમારોહમાં હાજરી આપવા પહોંચ્યા છે. મોદીએ કાર્યક્રમને સંબોધિત કરતા કહ્યું કે સંવિધાનના કારણે જ આજે દેશના ગરીબ અને મહિલાઓ સશક્ત છે. તેમણે કહ્યું કે ભારત આજે તમામ મુશ્કેલીઓને પાછળ છોડી આગળ વધી રહ્યું છે. જણાવી દઈએ કે 26 નવેમ્બર 1949એ સંવિધાન સભા દ્વારા ભારતીય સંવિધાનને સ્વિકાર કરવાના કારણે સંવિધાન દિવસના સ્વરુપે મનાવવામાં આવે છે.
ઈ-કોર્ટ પરિયોજનાને લોન્ચ કરી
આ કાર્યક્રમમાં પીએમ મોદીએ સૌથી પહેલા ઈ-કોર્ટ પરિયોજનાની શરુઆત કરી છે. આ પરિયોજના હેઠળ વર્ચુઅલ જસ્ટિસ ક્લોક, ડિજિટલ કોર્ટ અને જસ્ટિસ મોબાઈલ એપ 2.0 શરુ કરવામાં આવશે. પીએમે લોન્ચિંગ બાદ કહ્યું કે 1949માં આજના દિવસે જ સ્વતંત્ર ભારતે પોતાના માટે ભવિષ્યનો એક પાયો નાંખ્યો હતો. આ વર્ષનો સંવિધાન દિવસ એટલે પણ ખાસ છે કારણકે ભારતે પોતાની આઝાદીના 75 વર્ષ પણ પૂરા કર્યાં છે.
દેશના સંવિધાન આપનારા મહાનુભાવોને શ્રદ્ધાંજલિ- મોદી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અગાઉ એક ટ્વીટમાં બંધારણ આપનાર મહાન નેતાઓને શ્રદ્ધાંજલિ આપી હતી અને રાષ્ટ્ર માટેના તેમના વિઝનને પૂર્ણ કરવાની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. 2015 થી, બંધારણ સભા દ્વારા ભારતના બંધારણને અપનાવવાની યાદમાં 26 નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અગાઉ આ દિવસને કાયદા દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button