મહારાષ્ટ્રના રાજ્યપાલનું વિવાદિત નિવેદન, શિવાજી જુના, આદર્શ ગડકરી

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શનિવારે આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને વરિષ્ઠ નેતા શરદ પવારની સરખામણી છત્રપતિ શિવાજી મહારાજ સાથે કરી દીધી. આ સાથે જ રાજ્યપાલ કોશ્યારીએ એવું કહીને વિવાદિત નિવેદન આપ્યું હતું કે, છત્રપતિ શિવાજી જૂના દિવસોના આદર્શ હતા.

ઔરંગાબાદના બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટીના 62માં દિક્ષાંત સમારોહમાં રાજ્યપાલ કોશ્યારીએ જણાવ્યું કે, જ્યારે અમે સ્કૂલમાં જતા હતા, ત્યારે અમારા શિક્ષક પૂછતા હતા કે, તમારા પસંદગીના લીડર કોણ છે? તે સમયે લોકો સુભાષચંદ્ર, ગાંધીજી અને નહેરુને પસંદ કરતાં હતા અને તેમના નામ જણાવતા હતા.

જો આજે કોઈ તમને પૂછે કે, તમારી પસંદગીના લીડર કે આદર્શ કોણ છે, તો તમારે વધારે દૂર જવાની જરૂર નથી. તમને મહારાષ્ટ્રમાંથી જ મળી જશે. મહારાષ્ટ્ર નવરત્નોની ખાણ છે. શિવાજી જૂના જમાનાના આદર્શ છે, નવા યુગમાં ડૉ આંબેડકરથી નીતિન ગડકરી સુધીના તમામ અહીં જ મળી જશે. મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ આજ દિક્ષાંત સમારોહમાં NCP સુપ્રીમો શરદ પવાર અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ડૉક્ટરેટ ઑફ લિટરેચર (ડી.લિટ)ની ઉપાધીથી સમ્માનિત કર્યાં.

અગાઉ પણ સાવિત્રીબાઈ ફૂલે તો ક્યારેક શિવાજી મહારાજના ગુરુઓ પર પોતાની ટિપ્પણીના કારણે રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી વિવાદોમાં સપડાઈ ચૂક્યાં છે. એવામાં આજે રાજ્યપાલે ગડકરી અને પવારની પ્રસંશા કરતાં છત્રપતિ શિવાજીનું ઉદાહરણ આપી દીધું

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.