રાહુલ ગાંધી રાજકોટમાં જંગી સભાને સંબોધન કરશે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ થઇ રહ્યો છે. ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા તડામાર તૈયારી થઇ રહી છે. ગુજરાતમાં અત્યાર સુધી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ખુબ જ સુસ્તીથી પ્રચાર કરી રહી હતી જો કે હવે કોંગ્રેસના સ્ટાર પ્રચારક તરીકે રાહુલ ગાંધી રાજકોટ આવી રહ્યા છે અને તે માટે કોંગ્રેસ દ્વારા તૈયારી પણ શરૂ કરી દીધી છે. ગુજરાતમાં આગામી 21મી તારીખે રાજકોટ ખાતે રાહુલ ગાંધી એક જંગી જાહેર સભાને સંબોધન કરશે. આ માટે રાજકોટ કોંગ્રેસ દ્વારા શહેરના મધ્યમમાં આવેલા શાસ્ત્રી મેદાન ભાડે રાખવા માટે રાજકોટ જિલ્લા કલેક્ટર પાસે મંજૂરી પણ માગવામાં આવી છે.
ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં કોંગ્રેસે સૌરાષ્ટ્રમાં ખુબ જ સારું પરિણામ મળ્યું હતું અને તેથી જ રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં આ વખતે પણ વધુ ને વધુ બેઠકો મળે તે માટે ફરીથી મેદાનમાં આવી ગયા છે. રાજકોટમાં રાહુલ ગાંધીની સભા પહેલા અમરેલી ખાતે પણ જંગી સભાને સંબોધન કરશે. રાજકોટમાં રાહુલ ગાંધીના આગમન પહેલા જ કોંગ્રેસના મોટા નેતાઓનો કાફલો પણ રાજકોટ ખાતે પહોંચી જશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસના રાહુલ ગાંધી મતદારોને રીઝવશે.
ગુજરાતમાં ચૂંટણી માટે ઉમેદવારોના ફોર્મ પરત લેવાનો ગઈકાલે છેલ્લો દિવસ હતો જેથી હવે પ્રથમ તબક્કાનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ થઇ રહ્યો છે. ગુજરાતમાં જુદા જુદા ત્રણ રાજ્યના મુખ્યમંત્રી ઉપરાંત મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ પણ ગુજરાતમાં ચાર જગ્યાએ સભા ગજવશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી ભારતી પવાર પણ ચૂંટણીના પ્રચાર માટે 2 રેલી કાઢશે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું મુખ્ય લક્ષ્ય સૌરાષ્ટ્રની બેઠક જીતવાનું છે ત્યારે મોરબી જિલ્લામાં આ રેલી મહત્વનો ભાગ ભજવશે. ગુજરાતમાં આ વર્ષે ભારતીય જનતા પાર્ટી સામે અનેક પ્રશ્નો અને ભારે નારાજગી જોવા મળી રહી છે તે ઉપરાંત મોરબીમાં પુલ દુર્ઘટનાએ પણ શાશક પક્ષ પર છાટા ઉડાડ્યા છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button