કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી, રાજીવ ગાંધી હત્યાકાંડઃ દોષિતોને છોડી મુકવાના વિરૂદ્ધમાં
રાજીવ ગાંધીના હત્યારાઓને છોડી મુકવાના વિરૂદ્ધમાં કેન્દ્ર સરકારે અવાજ ઉઠાવ્યો છે. જે અંતર્ગત કેન્દ્ર દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.કેન્દ્રએ સુપ્રીમ કોર્ટને પોતાના નિર્ણય પર પુનર્વિચાર કરવાની માગ કરી છે. સુપ્રીમ કોર્ટે જ રાજીવ ગાંધી હત્યાકાંડના છ દોષિતને છોડી મુક્યા હતા.
કેન્દ્રએ પોતાની અરજીમાં કહ્યું કે કેન્દ્ર સરકારને પોતાની વાત રાખવાનો પુરત સમય આપ્યા વગર દોષિતોને છોડી મુકવાનો નિર્ણય લેવાયો છે. કેન્દ્રએ કહ્યું કે સુનાવણી દરમિયાન પ્રક્રિયાત્મક ચૂક થઈ જેના કારણે કેસમાં કેન્દ્ર સરકારની ભાગીદાર ન કે બરોબર છે. કેન્દ્રએ આ અંગે ન્યાય આપવામાં નિષ્ફળતા ગણાવી છે. સુપ્રીમ કોર્ટે ગત સપ્તાહે રાજીવ ગાંધી હત્યાકાંડના છ દોષિતોને છોડી મુકવાના આદેશ આપ્યા હતા. આ તમામ પૂર્વ PM રાજીવ ગાંધી હત્યા કેસમાં આજીવન કેની સજા કાપી રહ્યાં હતા. અન્ય દોષી એજી પેરારિવલનને પહેલાં જ છોડી મુકવામાં આવ્યો હતો. તે પણ આજીવન કેદની સજા કાપી રહ્યો હતો. સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ તમામ દોષિતો પ્રત્યે નરમ વલણ અપનાવ્યું હતું, જેના કારણે તેમનો છુટકારો આસાન બન્યો હતો. જો કે કેન્દ્ર સરકારની સાથે સાથે કોંગ્રેસ પાર્ટી પણ દોષિતોને છોડી મુકવાના વિરૂદ્ધમાં છે.
બીજી તરફ હત્યાકાંડમાં સજા કાપ્યા બાદ જેલમાંથી બહાર આવેલી નલિનીએ પોતાને નિર્દોષ ગણાવી છે. તેમણે કહ્યું કે હું કોંગ્રેસ પરિવારમાંથી છું. જ્યારે ઈન્દિરા ગાંધીની હત્યા થઈ હતી, ત્યારે અમે આખો દિવસ કંઈ ખાધું ન હતું. અમે ચાર દિવસ સુધી રડ્યા હતા. ત્યાં સુધી કે જ્યારે રાજીવ ગાંધીની હત્યા થઈ ત્યારે પણ અમે ત્રણ દિવસ સુધી રડ્યા હતા. પરંતુ મારા પર જ તેમની હત્યાનો આરોપ લાગ્યા. હું ત્યારે જ આરામથી જીવી શકીશ, જ્યારે તેમની હત્યાના આરોપમાંથી મને સંપૂર્ણપણે બહાર કરવામાં આવશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button