પતિ નપૂંસક છે તેમ કહીને છુટાછેડા લીધા વગર પુત્રીને અન્યત્ર પરણાવી દેવાઈ, પોલીસે ફરીયાદ ન લેતા કોર્ટમાં “ધા”
પોરબંદરના એક ગામડાંમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો, પોલીસ આ ગુન્હો ન નોંધતા દીકરાવાળાઓ ગિન્નાયા અને કોર્ટમાં અરજી કરી માંગી મદદ, જો કે પોલીસે કેમ ગુન્હો ન નોંધ્યો એ તો પોલીસ જ કહી શકે પરંતુ અગર પોલીસે ગુન્હો નોંધ્યો હોત તો તેની કાનૂની જોગવાઈ હતી કલમ ૪૯૪ જેમાં સ્પષ્ટ જોગવાઈ છે કે “પતિ અથવા પત્નીની હયાતીમાં ફરીથી લગ્ન કરવા બાબત” જે કોઈ વ્યક્તિ પોતાનો પતિ અથવા પત્ની હયાત હોય અને તેવા સંજોગોમાં લગ્ન કરે કે તેવું લગ્ન પોતાને પતિ કે પત્નીની હયાતીમાં થવાને કારણે રદબાતલ ગણાય તેને સાત વર્ષની કોઈ પ્રકારની કેદ ની જોગવાઈ આ કલમમાં રહેલી છે. જેમાં એક જ અપવાદ છે કે જે વ્યક્તિના પતિ કે પત્નીનું સાથેનું લગ્ન કાયદેસર હકુમત ધરાવતાં ન્યાયાલયે રદબાતલ ઠરાવ્યું હોય તેને આ કલમ લાગુ પડતી નથી.
આ બાબતે કોર્ટ કેસ દાખલ કરનાર ફરિયાદી જણાવે છે કે પોતે પુરુષ હોવાના તમામ લક્ષણો પોતાનામાં મોજુદ છે, આ અંગેનો કેસ લડી રહેલા પોરબંદરના સિનિયર વકીલ ગોવિંદભાઈ સાદીયા આ બાબતે જણાવે છે કે લગ્નમાં બીજા પાર્ટનરની હયાતી અથવા કોર્ટે છૂટાછેડા આપ્યા ન હોય તેવા લગ્ન કાયદેસરના લગ્ન ગણાતા હોય, બીજો પાર્ટનર પોતાના લગ્ન રચી શકે નહીં, આ બાબતે આરોપી પક્ષે ફરિયાદીની અગાઉની પોલીસ અરજી માં પોલીસે કરેલી તપાસમાં ફરિયાદી પક્ષના નિવેદનો માં જ ગુન્હો પ્રસ્થાપિત થાય છે ત્યારે પોલીસે ફરિયાદ ન લેતા આ મામલો હાલ કોર્ટમાં ઘસી આવ્યો છે.
ફરિયાદીના પત્ની એ અને સાસરિયાઓ જણાવ્યા મુજબ ફરિયાદી અગર ખરેખર નપુંસક હોય તો તેના પ્રમાણ કે ટેસ્ટ કરાવ્યા વિના, ઉપરાંત કાયદેસરના છુટાછેડા મેળવ્યા વિના અગર આરોપી સ્ત્રી કે તેના પક્ષના લોકોએ અન્ય લગ્ન કર્યા હોય તો તે ભારતના મેરેજ એક્ટ મુજબનો ગુન્હો બને છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button