જેક્લીન જેલમાં જશે કે જામીન મળશે, જામીન અરજી પર આજે દિલ્હી કોર્ટમાં નિર્ણય
દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટ મંગળવારે ગેંગસ્ટર સુકેશ ચંદ્રશેખરને સંડોવતા 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં આરોપી બોલિવૂડ અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝની જામીન અરજી પર પોતાનો ચુકાદો સંભળાવશે.
અગાઉ 11 નવેમ્બરના રોજ પટિયાલા હાઉસ કોર્ટની વિશેષ અદાલતે સુકેશ ચંદ્રશેખરને સંડોવતા 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં આરોપી અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડીઝને રાહત આપતા ધરપકડ પરનો સ્ટે 15 નવેમ્બર સુધી લંબાવ્યો હતો.
વિશેષ ન્યાયાધીશ શૈલેન્દ્ર મલિકે કહ્યું હતું કે, જેક્લીનની જામીન અરજી પર નિર્ણય હજુ તૈયાર નથી, તેથી કોર્ટ હવે 15 નવેમ્બરે પોતાનો નિર્ણય સંભળાવશે. કોર્ટે 26 સપ્ટેમ્બરે જેક્લીનની ધરપકડ પર રોક લગાવી દીધી હતી.
EDએ જામીન અરજીનો વિરોધ કર્યો હતો
પટિયાલા હાઉસ કોર્ટમાં છેલ્લી સુનાવણી દરમિયાન એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જેક્લીન ફર્નાન્ડીઝની જામીન અરજીનો વિરોધ કર્યો હતો અને પૂછપરછ માટે તેના રિમાન્ડની માગણી કરી હતી. EDએ દલીલ કરી હતી કે, જ્યારે મની લોન્ડરિંગ સાથે જોડાયેલા તમામ આરોપીઓ જેલમાં છે ત્યારે જેક્લીન ફર્નાન્ડીઝને જામીન કેમ આપવામાં આવે છે?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે અભિનેત્રીની જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે, તેણે દેશ છોડીને ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન તેણે તપાસમાં સહકાર આપ્યો નથી. આવી સ્થિતિમાં અભિનેત્રીને જામીન ન આપવા જોઈએ.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button