EWS ક્વોટાના સાઈડ ઈફેક્ટઃ કેન્દ્રની વધી શકે છે મુશ્કેલીઓ

આર્થિક રીતે પછાત વર્ગ (EWS) માટે 10 ટકા અનામત યથાવત રાખવાના સુપ્રીમના નિર્ણય બાદ કેન્દ્ર સરકારની મુશ્કેલીઓ વધી શકે છે. 50 ટકા સુધીની અનામતની ટોચ મર્યાદાનું ઉલ્લંઘન કરીને બનાવવામાં આવેલા કાયદાને માન્ય કર્યા પછી, હવે ઘણી રાજ્ય સરકારો આરક્ષણ મર્યાદા વધારવા માટે કેન્દ્રનો સંપર્ક કરી શકે છે. આવામાં કેન્દ્ર સરકાર પાસે રાજ્યોની ભલામણો અથવા વિનંતીઓને સ્વીકારવી અથવા નકારી કાઢવી મુશ્કેલ બની શકે છે.

સુપ્રીમ કોર્ટના તાજેતરના બહુમતી નિર્ણયને અત્યાર સુધી અવ્યવહારુ ગણાતા ક્વોટા પરની મર્યાદા વધારવા તરીકે વ્યાપકપણે અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. ચુકાદાનું કાળજીપૂર્વક વાંચન દર્શાવે છે કે, તેણે SC/ST/OBC માટે ક્વોટાને 50 ટકા સુધી મર્યાદિત કર્યો છે ત્યારે EWSને તેના કાર્યક્ષેત્રની બહાર ગણાવ્યો છે.

જો કે, સીમાચિહ્નરૂપ ઈન્દિરા સાહની કેસમાં સુપ્રીમ કોર્ટેના વિવિધ આદેશોની ચર્ચા કરતી વખતે, કોર્ટે 50 ટકા અનામતની મર્યાદાને ‘અટલ નથી’ તરીકે ગણાવી હતી, જ્યાં ન્યાયાધીશોએ વ્યક્તિગત રીતે દલીલ કરી હતી કે અપવાદરૂપ પરિસ્થિઓમાં 50 ટકા અનામતની મર્યાદાનું ઉલ્લંઘન થઈ શકે છે.

કાયદા નિષ્ણાતો શુ કહે છે

EWS ક્વોટા પર સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી, એવી ધારણા છે કે અનામતની ઉપલી 50 ટકા મર્યાદાને પાર કરી શકાય છે. આરક્ષણ બાબતોમાં નિષ્ણાંત વકીલ શશાંક રત્નું જેમણે EWS કેસમાં પણ દલીલ કરી હતી તેમણે કહ્યું હતું કે, ‘અપવાદરૂપ સંજોગોમાં, 50 ટકા ઉપલી મર્યાદાના ઉલ્લંઘનને બંધારણીય સુધારા દ્વારા કાયદેસર કરી શકાય છે.’

કેન્દ્રની મુશ્કેલી કેવી રીતે વધશે?

જો રાજ્ય સરકારો પણ તેમના ક્વોટા કાયદાઓને કાનૂની માન્યતા આપવા માટે બંધારણીય સુધારા માટે કેન્દ્ર સરકારને અરજીઓ મોકલવાનું શરૂ કરી દેશે તો કેન્દ્રને રાજકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડી

શકે છે. તેથી રાજ્યોની દલીલો સ્વીકારવી સરળ નહીં હોય કારણ કે અનેક રાજ્ય સરકારો નોકરીઓ અને શિક્ષણમાં ક્વોટાને અભૂતપૂર્વ સ્તર સુધી લઈ જઈ શકે છે. આનાથી અસુરક્ષિત શ્રેણી માટેની તકોમાં ઘટાડો થઈ શકે છે.

નીતિશ કુમારે કેન્દ્ર પાસે માંગણી કરી

આ હકીકત એ રીતે સ્પષ્ટ થાય છે કે EWS પર સુપ્રીમ કોર્ટના ચુકાદાના એક સપ્તાહની અંદર જ અનેક રાજ્યોએ સ્થાનિક ક્વોટા વધારવા માટે ઝડપી પગલા લીધા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ કેન્દ્ર પાસે 50 ટકા અનામતની મર્યાદા દૂર કરવાની માંગણી કરી છે. ત્યારે ઝારંખંડે SC/ST/OBC માટે કુલ અનામત મર્યાદા વધારીને 77 ટકા કરી દીધી છે.

રવિવારના રોજ, બિહારમાં સત્તારૂઢ 7 પક્ષીય મહાગંઠબંધનના બે પક્ષોએ મુખ્યમંત્રી નીતિશ કુમાર પાસે 23 નવેમ્બરથી શરૂ થનારા વિધાનસભાના શિયાળુ સત્રમાં આ કાયદો લાવવાની વિનંતી કરી છે, જેથી અનામતની કુલ મર્યાદા વર્તમાન 50 ટકાથી વધારીને 77 ટકા સુધી વધારી શકાય. રાજસ્થાનમાં પણ એવી જ માંગણી ઉઠી રહી છે કે OBC ક્વોટાને 21 ટકાથી વધારીને 27 ટકા કરવામાં આવે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Button



जवाब जरूर दे 

ભાણવડ નગરપાલિકામાં કોણ જીતશે ?

  • ભાજપ (47%, 8 Votes)
  • આમ આદમી પાર્ટી (35%, 6 Votes)
  • કોંગ્રેસ (18%, 3 Votes)

Total Voters: 17

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.