દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જનરલ ઓબ્ઝર્વર તરીકે અમ્રિત ત્રિપાઠીની નિમણૂંક
વિધાનસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૮૧ – ખંભાળિયા વિધાનસભા મતદાર વિભાગ અને ૮૨ – દ્વારકા વિધાનસભા મતદાર વિભાગ માટે જનરલ ઓબ્ઝર્વર તરીકે આઇ. એ.એસ. અમ્રીત ત્રિપાઠીની નિમણૂંક કરવામાં આવી છે, કોઈ વ્યક્તિને ચુંટણી સંબંધિત કોઈ રજૂઆત હોય તો જનરલ ઓબ્ઝર્વરને મો. નં. ૬૩૫૪૭૧૫૪૨૩, લેન્ડ લાઈન નં. ૦૨૮૩૩ – ૨૫૬૦૪૧ અને ફેક્સ નં. ૦૨૮૩૩ – ૨૫૬૦૪૦ તથા ઈ – મેઈલ generalobserverdbd@gmail.com ઉપર રજૂઆત કરી શકાશે.
ઉપરાંત કોઈ રજૂઆત માટે રૂબરૂ મળવું હોય તો ૮૧ – ખંભાળિયા વિધાનસભા મતદાર વિભાગ માટે સાંજે ૫:૩૦ થી ૬:૩૦ દરમિયાન તેમજ ૮૨ – દ્વારકા વિધાનસભા મતદાર વિભાગ માટે સવારે ૯:૩૦ થી ૧૦:૩૦ કલાક દરમિયાન સર્કીટ હાઉસ – દ્વારકા ખાતે મળી શકાશે. રૂબરૂ મળવા માટેનો સમય અગાઉથી ટેલીફોનીક સંપર્ક કરી નક્કી કરી લેવાનો રહેશે તેમ જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટર એમ. એ.પંડ્યાની યાદીમાં જણાવાયું છે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button