‘ઈંગ્લેન્ડની ઈનિંગ શરુ થઈ ત્યારે અમે નર્વસ હતા ‘
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ પરાજયની જવાબદારી બોલરોના શિરે ઢોળી હતી. ટી-૨૦ વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ૧૦ વિકેટથી મળેલી નાલેશીભરી હાર બાદ રોહિતે કહ્યું કે, આ પીચ બેટિંગ માટે મુશ્કેલ હતી. ૧૬૯નો ટાર્ગેટ ૧૬ ઓવરમાં તો ચેઝ થાય તેમ લાગતુ જ નહતુ. જોકે અમારી બોલિંગનું સ્તર અપેક્ષા મુજબનું ના રહ્યું. ખાસ કરીને ઈંગ્લેન્ડની ઈનિંગની શરૃઆતમાં અમારો દેખાવ સારો ના રહ્યો. અમે નર્વસ હતા.
રોહિતે એમ પણ ઊમેર્યું હતુ કે, નોકઆઉટ સ્ટેજની મેચમાં તનાવ વચ્ચે સારો દેખાવ કરવો જરુરી હોય છે. જોકે અમારા ખેલાડીઓ દબાણની સામે ઝુકી ગયા. હવે દરેકને દબાણનો સામનો કેવી રીતે કરવો તે સમજાવી ના શકાય. જ્યારે આ ખેલાડીઓ આઇપીએલમાં પ્લે ઓફ અને તેના જેવી હાઈ પ્રેશર મેચ રમશે અને ત્યારે તેઓ તનાવમાં સારો દેખાવ કરતા શીખશે.
રોહિતે ટીમની બેટિંગની સરાહના કરતાં કહ્યું હતુ કે, અમે બેટિંગમાં છેલ્લી ઓવરોમાં સારું રમ્યા અને ઈંગ્લેન્ડને પડકારજનક સ્કોર આપ્યો હતો. તેણે બટલર અને હેલ્સની પણ પ્રશંસા કરી હતી. નોંધપાત્ર છે કે, ભારતીય ટીમ મેન્ટલ સ્ટ્રેન્થ-કન્ડિશનિંગ માટે ઘણા વર્ષોથી પેડી અપટોનની સેવા લઈ રહી છે. વધુમાં બોલિંગમાં આઇપીએલનો બહોળો અનુભવ ધરાવતા ભુવનેશ્વર, શમી, અશ્વિન અને હાર્દિક ઝુડાયા હતા. જ્યારે અક્ષર અને અર્ષદીપે નોંધપાત્ર દેખાવ કર્યો હતો.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button