CRICKET: ભારત માટે કપરા ચઢાણ-ચમત્કારની આશા
પાકિસ્તાનની સામે હવે ફાઈનલની ટિકિટ માટે રમાઈ રહેલ બીજી સેમિફાઈનલમાં કોહલી અને પંડ્યાની 50ને આધારે ભારતે 168 રન કર્યા છે અને ઈંગ્લેન્ડને 169નો ટાર્ગેટ આપ્યો છે. ટોસ જીતીને ઈગ્લેન્ડે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.
પ્રથમ સેમિફાઈનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને પાકિસ્તાને ગઈકાલે ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે જ્યારે આજે વરસાદી વાતાવરણ વચ્ચે રમાઈ રહેલી ટી 20 વર્લ્ડકપની બીજી સેમિફાઈનલ મેચમાં ભારતનો મુકાબલો ઈગ્લેન્ડ સામે થવા થઈ રહ્યો છે.
આજની મેચમાં રોહિત શર્મા ટોસ હાર્યા હતા અને ઈગ્લેન્ડે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. મહત્વની વાત એ છે કે આજની મેચમાં પણ દિનેશ કાર્તિકને સ્થાન નથી મળ્યું અને પંત ભારત તરફથી વિકેટ કિપીંગ કરશે. બાકી અન્ય ટીમ યથાવત રહેશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button