ઈલેક્શન 2022 : રાજકોટમાં જિલ્લામાં આચારસંહિતાની ફરિયાદનો ધોધ
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમ થતો જાય છે. ગુજરાતમાં ચૂંટણી આદર્શ રીતે યોજાઈ અને તેમાં કોઈ વિઘ્ન ન આવે તે માટે આ વર્ષે ચૂંટણી પંચ દ્વારા નાગરિકોને ફરિયાદની માટે C-Vigil એપની સુવિધા કરી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની કેન્દ્રીય પંચ દ્વારા તારીખ જાહેરાત થયા બાદ આદર્શ આચારસંહિતા લાગુ પડી ગઈ છે. આ માટે રાજકોટ જિલ્લામાં પણ આદર્શ આચારસંહિતા લાગુ છે આ દરમિયાન રાજકોટ જિલ્લાના જુદા જુદા મતવિસ્તારોમાં આચારસંહિતાનું ઉલ્લંઘન થતા લોકોએ સી-વીજીલ એપ્લિકેશનમાં ઓનલાઇન ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી અને ચૂંટણી પંચનું ધ્યાન દોર્યું હતું.
રાજકોટ જિલ્લાના જુદા જુદા વિધાનસભાના મતવિસ્તારોમાંથી જુદી જુદી પાંચ ફરિયાદો આવી હતી અને આ સાથે કુલ 27 ફરિયાદો આવી હતી. આ બધી ફરિયાદનો ચૂંટણીતંત્ર દ્વારા થોડીકક્ષણોમાં જ નિવારણ કરાયું હતું. રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં આદર્શ આચારસંહિતા માટે ફરિયાદ નિવારણ સેલમાં સી-વિજિલ એપ્લિકેશનના માધ્યમથી અત્યારસુધીમાં 27 જેટલી જુદી જુદી ફરિયાદો નોંધવામાં આવી હતી. આ કુલ ફરિયાદોમાં બે ફરિયાદ ખોટી હોવાથી રદ્દ કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે.
ક્યાં મતવિસ્તારમાંથી કેટલી ફરિયાદ નોંધણી ?
1 ધોરાજી -1
2 જસદણ – 1
3 ગોંડલ – 10
4 જેતપુર – 2
5 રાજકોટ પૂર્વ – 3
6 રાજકોટ ગ્રામ્ય – 2
7 રાજકોટ દક્ષિણ – 5
8 રાજકોટ પશ્ચિમ – 1
આ 25 ફરિયાદોનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો હતો. આદર્શ આચારસંહિતાનો ભંગ ન થાય તે માટે રાજકોટ જિલ્લામાં એક ટોલ ફ્રી નંબર પણ રાખવામાં આવ્યો છે. જો કે હજુ સુધી આ નંબર પર કોઈ ફરિયાદ આવી નથી. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બરની 1 તારીખે અને 5મી તારીખે યોજાવાની છે જયારે પરિણામ 8મી તારીખે જાહેર કરવામાં આવશે.
व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें
Please Share This News By Pressing Whatsapp Button