પોરબંદર જિલ્લામાં તા.૧૪ નવેમ્બર સુધી સભા સરઘસ બંધી
પોરબંદર તા.૦૧, પોરબંદર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પ્રવર્તમાન સ્થિતિ અને સભા, સરઘસ, ધરણા, અને વિરોધ પ્રદર્શન સંદર્ભે અગમચેતીના પગલા રૂપે પોલીસ અધિક્ષક પોરબંદર તરફથી જાહેરનામાની દરખાસ્ત આવતા પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એમ.કે.જોષીએ જિલ્લામાં તા.૧૪ નવેમ્બર સુધી કોઇપણ સભા, મંડળી, સરઘસ માટે મનાઇ ફરમાવતું જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે. આ હુકમ ફરજ ઉપર હોય તેવી ગૃહ રક્ષક મંડળ, સરકારની નોકરીએ અવર જવર કરતી હોય તેવી વ્યકિત , લગ્નનો વરઘોડો, સરકારશ્રી દ્વારા યોજવામાં આવતા કાર્યક્રમો તેમજ પરવાનગી લઇને કાઢેલા સરઘસ સહિતના કાર્યક્રમોને લાગુ પડશે નહીં. આ હુકમનો ભંગ કરનાર સામે દંડ અથવા સાદી કેદની કાર્યવાહી કરાશે.
ફાઇરીંગ પ્રેકટિસ દરમિયાન દરિયામાં પ્રવેશબંધી
પોરબંદર તા.૦૧– પોરબંદર જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એમ.કે.જોષીએ એક જાહેરનામું બહાર પાડીને આગામી તા.૦૧ નવેમ્બરથી તા.૧૦ નવેમ્બર સુધી કુલ ૧૦ દિવસ સવારના ૦૬ કલાકથી સાંજના ૧૮ કલાક સુધી ઓડદર તરફ જતાં રસ્તા નજીક તથા દરિયા કિનારાના ફાઇરીંગ બટ વિસ્તારના પૂર્વ ભાગે-૨૦૦ મીટર, પશ્ચિમ ભાગે-૨૦૦ મીટર, ઉત્તર ભાગે -૬૦૦ મીટર, દક્ષિણ ભાગે- ૨૦૦ મીટર તથા દરીયામાં ૫ (પાંચ) કિ.મી. સુધીના વિસ્તારમાં ફાઇરીંગ પ્રેકટિસ દરમ્યાન માછીમારો વ્યકિતગત તેમજ વહાણ/બોટ લઇ જવા ઉપર ઉપરોકત સમય દરમ્યાન પ્રવેશબંધી ફરમાવેલી છે. આ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર ઠરે છે.