માહિતી અહેવાલ શાર્દુલ ગજ્જર
દાહોદ જિલ્લાના આદિવાસી સમાજમાં નવા વર્ષના દિવસે પોતાના પશુઓને શણગાર કરી ગાયો ને દોડાવવામાં આવે છે અને આસ્થા અને શ્રધ્ધા સાથે લોકો જમીન ઉપર સૂઈ જાય છે અને ગાયોનું ધાડૂ તેમના ઉપરથી પસાર થાય છે
દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને જિલ્લાના આદિવાસી સમાજમાં દિવાળી અને નવા વર્ષ ને લઈને અનોખી પરંપરા છે વર્ષો જૂની ચાલી આવતી આ પરંપરા આજે પણ યથાવત છે નવા વર્ષના દિવસે વહેલી સવારે ખેડૂતો પોતાના પશુઑને નવડાવી અને તેને કલર કરી મોરપીછ, ફૂમતા ઘૂઘરા સહિતની વસ્તુઓથી શણગાર કરે છે અને અનેક ગામોમાં ગાયગોહરી ઉજવાય છે, શણગારેલા પશુઓને લઈ જવામાં આવે છે અને લોકો રસ્તા ઉપર સૂઈ જાય છે અને તેના ઉપર થી ગાયોનું ધાડું દોડી ને પસાર થાય છે ગાયોને ભડકવવા માટે ફટાકડાનો ઉપયોગ થાય છે ગાયોના પગ માં ફટાકડા ફોડવામાં આવે છે જેથી ગાયો દોડવા લાગે ઢોલ નગારા સાથે ઉત્સાહભેર આ રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે પ્રાચીન સમયથી ચાલી આવતી પરંપરા આજે પણ યથાવત છે
આદિવાસી સમાજમાં એક માન્યતા છે કે આખું વર્ષ ખેતી સહિતના કામોમાં પશુઑનો ઉપયોગ થતો હોય છે ત્યારે વર્ષ દરમિયાન જાણે અજાણે પશુઑને દુખ પહોચડ્યું હોય કે અત્યાચાર થયો હોય તો નવા વર્ષના દિવસે ગાયમાતાને દંડવત પ્રણામ સાથે લોકો જમીન ઉપર સૂઈ જાય છે અને ગાયમાતાની ક્ષમા માંગતા હોય છે તેમજ આવનારું વર્ષ સારું જાય ખેતી સારી થાય તેવી આસ્થા અને શ્રધ્ધા સાથે લોકો સૂઈ જાય છે અને ગાયોનું ઝુંડ તેમના ઉપરથી દોડી ને પસાર થાય છે આટલી ગાયો શરીર ઉપર થી પસાર થયા પછી પણ કોઈ ને ઇજા નથી પહોચતી એ પણ એક આસ્થાનું કેન્દ્ર રહેલું છે