પ્રધાનમંત્રી આવાસ યોજના થકી લાભાર્થી પરિવારોને ઘરનું ઘર મળ્યું
પોરબંદર તા.૨૪ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ પોરબંદર જિલ્લામાં ૫૬૨ આવાસોનું બાંધકામ પૂર્ણ થયેલ છે. ભાડાના મકાનમાં રહેતા આ પરિવારો આ વર્ષની દિવાળી પોતાના નવા ઘરના ઘરમા ઉજવી રહ્યા છે.
રંગોળી, દિવડા, આસોપાલવના તોરણો તથા પરિવારના ચહેરા પર મુસ્કાનથી દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. લાભાર્થી પરિવારો આ તકે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલનો આભાર વ્યક્ત કરી રહ્યા છે.