માહિતી અને અહેવાલ: શાર્દુલ ગજ્જર
ભારતમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા જનહિતમા જારી, નકલી પત્રકારો અને બનાવટી યુ ટ્યૂબ ચેનલ જે લોકો ઉદ્યોગ આધાર નામે ચલાવી રહ્યા છે, તેમના પર આકરી કાર્યવાહી કરવામાં આવશે. વીડિયો કોન્ફરન્સિંગ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા માહિતી અને પ્રસારણ પ્રધાને જણાવ્યું હતું કે દેશભરમાં એવા બધા લોકો કે જે પ્રેસ આઈડી કાર્ડ લઇને ફરતા હોય અથવા નકલી ચેનલો ચલાવી રહ્યા હોય તેઓ પર તત્કાળ તપાસ શરૂ કરાશે.
વધુમાં મંત્રીએ કહ્યું કે કેટલાક દોષિત લોકોના કારણે સારા અને પ્રામાણિક પત્રકારોની છબી ખરાબ થઈ રહી છે, અને તેમનું કાર્ય અવરોધિત થઈ રહ્યું છે.
વધુ માહિતી આપતાં તેમણે જણાવ્યું હતું કે દેશમાં નકલી પ્રેસ આઈડી વહેંચવાનો અને પ્રેસના નામે બ્લેકમેઇલ કરવાનો ધંધો ચાલી રહ્યો છે. તેને કાબૂમાં રાખવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
આ સંદર્ભમાં તમામ રાજ્યોના પ્રેસ માહિતી મંત્રાલયને સૂચનાઓ જારી કરવામાં આવી છે. પત્રકાર/સંવાદદાતાની નિમણૂક ભારત સરકારના RNI દ્વારા નોંધાયેલા અખબાર મેગેઝિન દ્વારા કરી શકાય છે અથવા TV/RADIO માહિતી પ્રસારણ મંત્રાલય સાથે નોંધણી કરાવી શકાય છે અને ફક્ત તેના સંપાદક જ પ્રેસ કાર્ડ આપી શકે છે.
ઇન્ટરનેટ યુ ટ્યુબ પર ચાલતા ન્યુઝપોર્ટલની નોંધણીની જોગવાઈ માહિતી પ્રસારણ મંત્રાલયમાં નથી આ પ્રકારના પત્રકારની નિમણૂક કરી શકાતી નથી. જો કોઈ વ્યક્તિ આવું કરે તો તે પ્રેસ ID જારી કરી શકશે નહીં, તે ગેરકાયદેસર છે અને તેની સામે પગલાં લેવામાં આવશે, તારીખ 10/10/2022 પછી જો કોઈ યુ ટ્યૂબ ચેનલ ચલાવતા પત્રકાર જોવા મળે તો તાત્કાલિક લેખિતમાં અથવા 100 નંબર ઉપર પોલીસ ને જાણ કરો, તેમના સામે કડક પગલા લેવામાં આવશે અને આવા વ્યક્તિ પર આકરી કાર્યવાહી કરવામાં આવશે.