સંતશ્રી ત્રીકમાંચાર્ય સેવા સમિતિ નવરાત્રી મહોત્સવ ૨૦૨૨

શ્રી બરડાઈ વિદ્યોતેજક ઝુંડાળા ખાતે બીજા
દિવસેમાં અંબેની આરતી ઉતારી, કોરોના મહામારીમાં બરડાઈ બ્રાહ્મણ સમાજના પરિવારના સભ્યો મૃત્યુ પામ્યા તેમની આત્માને શાંતિ માટે બે મિનિટનું મૌન પાળી, ખલૈયાઓ એ નવરાત્રી રાસ રમવાની શરૂવાત કરી હતી, જ્ઞાતિની બહેનો માતાઓ માટે રાસ રમવાની વ્યવસ્થા પ્રદાન કરતી આ સમિતિ પુરુષો માટે બેસવાની અને ચા પાણીની વ્યવસ્થા પણ રાખે છે, જેમ જેમ નવરાત્રી આગળ ધપશે તેમ તેમ જ્ઞાતિના વિવિધ મહાનુભાવો, દાતાઓ અને વગદાર પ્રભુત્વ ધરાવતા જ્ઞાતિના પ્રભુદ્ધો આ રાસોત્સવની મુલાકાત અચૂક લેતા હોય છે.

આ નવ દિવસોમાં દરરોજ રાત્રે જાણે કે જ્ઞાતિનું સ્નેહમિલન મળતું હોય તેમ જ્ઞાતિના હૈયેહૈયા દળાય તેવી મેદની પટાગણમાં હોય છે, આ આયોજન અને સંચાલન બર્ડાઈ બ્રાહ્મણ જ્ઞાતિની અદની એક સંસ્થા શ્રી ત્રિકમાચાર્યજી સેવાસમિતિના યુવાનો કરે છે.