પોરબંદર જિલ્લામાં જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ તા.૧૬ તથા તા.૧૭ રોજ તાજાવાલા હૉલ ખાતે યોજાશે

કમિશનરશ્રીયુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓગાંધીનગર દ્વારા પ્રેરિત જિલ્લા વહીવટી તંત્રપોરબંદર તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી કચેરી દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જિલ્લા કક્ષાના કલા મહાકુંભનવરાત્રી રાસગરબા અને યુવા ઉત્સવનું આયોજન થનાર છે. આ આયોજન તા.૧૬ તથા તા.૧૭ સપ્ટેમ્બરના રોજ સવારે ૮.૩૦ કલાકથી રાત્રીના ૯ કલાક દરમ્યાન તાજાવાલા હૉલ ખાતે યોજાશે. જેમાં પોરબંદર જિલ્લના અંદાજિત ૮૦૦થી ૧૦૦૦ જેટલા બાળયુવા અને વયસ્ક કલાકારો ભાગ લઈને પોતાની કલા રજૂ કરશે