જવાહર નવોદય વિધાલયામાં પ્રવેશ જોગ

પોરબંદર તા.૯, નવોદય વિધાલય સમિતિ દ્રારા ચલાવાતી જવાહર નવોદય વિધાલયોની વર્ષ–૨૦૨૧-૨૨ માટે ધોરણ-૯માં પ્રવેશ મેળવવા માટેની પસંદગી પરીક્ષા તારીખ ૨૪-૦૨-૨૦૨૧ ને બુધવારનાં રોજ ૧૦.૦૦ કલાકે જવાહર નવોદય વિધાલય પોરબંદરમાં લેવામાં આવશે. પ્રવેશ પરીક્ષા માટેના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે નવોદય વિધાલય સમિતિની વેબસાઇટ www.navodaya.gov.in અને www.nvsadmissionclassnine.in પરથી રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડમાં વિધાર્થીની જન્મતારીખ નાખીને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે જેની દરેક વાલીઓએ નોંધ લેવી તેમ એક યાદીમાં જાણાવાયુ છે.