ગુજરાતમાં 3થી 4 દિવસનું કર્ફ્યુ કરવા રાજ્ય સરકારને હાઈકોર્ટનો નિર્દેશ

ગુજરાતમાં પણ ટુંક સમયમાં કર્ફ્યુની જાહેરાત થઈ શકે છે. આજે હાઈકોર્ટ દ્વારા આ અંગે રાજ્ય સરકારને કર્ફ્યુને લઈ નિર્દેશ કર્યો છે. હાઈકોર્ટે કોરોનાના વધતાં કેસને લઈને રાજ્ય સરકારને 3થી 4 દિવસના કર્ફ્યુનો નિર્દેશ કર્યો છે. આ સાથે જ હાલ વધતાં કોરોનાના કેસને લઈ વીકેન્ડ કર્ફ્યુની પણ ટકોર કરવામાં આવી છે. રાજ્યમાં હાલ લોકડાઉનની જરૂર પડે તેવી સ્થિતિ હોવાનું હાઈકોર્ટનું અવલોન છે. સાથે જ કોર્ટે રાજકીય કાર્યક્રમો પર અંકુશ લગાવવા પણ કહ્યું છે.