એડવોકેટ મનીષ ભટૃની પશ્ચીમ ભારતીય રેલ્વેની ZRUCC માં સભ્ય તરીકે નિમણુક

  • સૌરાષ્ટ્રનાં યુવા અગ્રણી  ભારતીય રેલ્વેના પ્રશ્નોની સચોટ માનદ રજૂઆત કરાશે– મનીશ ભટ્ટ
  • કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાજીએ કરેલ ભલામણથી થયેલ નિમણુક
મિત્તલ ખેતાણી
(૯૮૨૪૨ ૨૧૯૯૯)

સૌરાષ્ટ્રનાં યુવા અગ્રણી એડવોકેટ મનીષ ભટૃની કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી પુરૂષોતમ રૂપાલાજીએ કરેલભલામણથી ઝોનલ રેલ્વે યુઝર્સ કન્સલટેટીવ કમિટી, ઝેડ.આર.યુ.સી.સી. (ZRUCC) માનદ સભ્ય તરીકે નિમણુક થયેલ છે. રેલ્વેના ઉદભવતા પ્રશ્નોની રજૂઆતો અને તેના યોગ્ય નિરાકરણ માટે મનીષભાઈ ભટૃની વેસ્ટર્ન રેલવેના સમગ્ર પશ્ચિમ ઝોનના રેલવે ઉપભોકતાઓ રેલવે પ્રવાસીઓના પ્રશ્નોને રજુ કરવા, તેનો ન્યાયીક અને ઝડપી ઉકેલ લાવી રેલવેની કામગીરીને વધુ અસરકારક અને પ્રજા ઉપયોગી બનાવવા સેતુરૂપ કામગીરી કરવા આ નિમણુક થયેલ હોય, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતનાં પ્રશ્નો મુંબઈ ઝોનલ કચેરી તથા રાજકોટ, ભાવનગર, અમદાવાદઅને વડોદરા રેલવે ડીવીઝન કચેરીઓમાં અસરકારક રીતે રજૂ કરીને પ્રજાલક્ષી કામગીરી કરવા મનીષભાઈ ભટૃે પ્રતિબધ્ધતા વ્યકત કરી છે. સૌરાષ્ટ્રનાં જાહેર જીવનનાં અગ્રણી, રાજકોટ શહેર ભાજપનાં પૂર્વ ઉપાધ્યક્ષ મનીષ ભટૃ બાલ્યાવસ્થાથી જ રાષ્ટ્રવાદી વિચારધારાને આધારીત રાજનીતી, સેવાક્ષેત્રને વરેલા છે. મનીષ ભટૃ રાજકોટ શહેર યુવા ભાજપનાં મંત્રી, ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ યુવા ભાજપના મંત્રી તથા ઉપાધ્યક્ષ તરીકે યશસ્વી જવાબદારી વહન કરી ચુકયા છે.

અસ્મિતા ફાઉન્ડેશન સંસ્થાના ફાઉન્ડર પ્રમુખ મનીષ ભટૃ અમેરીકામાં યોજાતા ”ચાલો ગુજરાત–ચાલો ઈન્ડિયા”–આયના સંસ્થાના એકઝીકયુટીવ કમિટીના સભ્ય તરીકે કાર્યરત છે, અનેક સંસ્થાઓમાં તન–મન–ધનથી સક્રિય છે. મનીષ ભટૃ સમગ્ર ભારતમાં સૌપ્રથમ પૂર્ણ કક્ષાની, ભારતની નિઃશુલ્ક પશુ–પક્ષી સારવાર ક્ષેત્રની સૌથી મોટી જીવદયા સંસ્થા, ભારત સરકાર દ્રારા શ્રેષ્ઠ સંસ્થાનો એવોર્ડ વિજેતા  શ્રી કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલીત એનીમલ હેલ્પલાઈનમાં માનદ સલાહકાર છે.
અનેકવિધ નેશનલ ઇવેન્ટસ/કાર્યક્રમોનુ સફળ સંચાલન કરી ચૂકેલા શ્રી મનીષ ભટૃ નવી પેઢીના પ્રભાવી વકતા છે. શબ્દોને લાગણીમાં ઝબોળી એક અનોખુ ભાવજગત, સદભાવ જગત ખડુ કરવાની તેમજ મિત્રો કમાવાની અને મિત્રતા સાચવવાની આ આવડત એ મનીષ ભટૃના આગવા વ્યકિતન્વનુ જમા પાસુ છે. રાજનીતી નહી પણ રાષ્ટ્ર નિતીમાં માનતાં સાહિત્ય પ્રેમી અને કલામર્મજ્ઞ મનીષ ભટૃની ઝેડ.આર.યુ.સી.સી. (ZRUCC) નાં સભ્ય તરીકે પ્રતિષ્ઠીત નિમણુકને ભારતીય જનતા પાર્ટીના પદાધીકારીઓ, આગેવાનો, કાર્યકર્તા મિત્રો તેમજ બહોળા મિત્રવર્તુળ તેમજ શુભેચ્છકો દ્રારા અભિનંદન સાથે આવકારી છે.
રેલ્વેને લગતા કોઈપણ પ્રશ્નો માટે મનીષભાઈ ભટૃ (મો.૯૮રપ૪૭૭પ૦૧) પર સંપર્ક કરી શકાશે.